વાંકાનેરમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક ભ્રષ્ટાચારની પોલ : શિક્ષણાધિકારી પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા બાદ પણ મૃતક પત્નીના નામે છેલ્લા 10 વર્ષથી વિધુર પેન્શનનો ખોટો પગાર મેળવી રહ્યા હોવાના આક્ષેપ…
વાંકાનેર તાલુકાના ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી અને પાંચદ્વારકા પ્રાથમિક શાળાના આચાર્ય મંગુભાઇ પટેલ તેમની શિક્ષક પત્નીના મૃત્યુ બાદ રીમેરેજ હોવા છતાં મૃતક પત્નીના નામે વિધૂર પેન્શન મેળવી ગેરરીતી આચરતા હોવાનો ઘટસ્ફોટ થતાં આ મુદ્દો શિક્ષણ વિભાગમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે, જે બાબતે જીલ્લા તિજોરી કચેરી દ્વારા શિક્ષણાધિકારીને નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો કરવા જણાવાયુ છે…
બાબતે પ્રાપ્ત માહિતી વાંકાનેર તાલુકા શિક્ષણાધિકારીના મંગુભાઇ પટેલના પત્ની ઇન્દુબેન ઉત્તમભાઈ પટેલ (અમરસર પ્રાથમિક શાળા) વર્ષ ૨૦૧૩માં અવસાન પામ્યા હોય, જેથી પતિ મંગુભાઈ જે. પટેલને કુટુંબ પેન્શન તા. ૧૭/૦૮/૨૦૧૩થી પેન્શન શરૂ થયું હતું. જે બાદ મંગુભાઈ પટેલે બીજા લગ્ન કર્યા હોય અને હાલ તેમને પાંચ વર્ષનો એક દિકરો પણ હોય પરંતુ તેઓ તંત્રને અંધારામાં રાખી હાલ પણ
ગુજરનાર શિક્ષિકા પત્નીનું પેન્શન મેળવી રહ્યા છે. જેથી આ બાબતે જીલ્લા તિજોરી કચેરી દ્વારા અગાઉ સંદર્ભદર્શીત પત્રથી શિક્ષણાધિકારી પાસે ખુલાસો માગ્યો હોય પરંતુ બાબતે તેમણે કોઈ સ્પષ્ટતા ન કરતાં આખરે જીલ્લા તિજોરી કચેરી દ્વારા તેમને નોટીસ ફટકારી સાત દિવસમાં પ્રતિષ્ઠિત વ્યક્તિના પ્રમાણપત્ર તથા જરૂરી આધાર પુરાવા સાથે સ્પષ્ટતા કરવા જણાવાયું છે.
બાબતે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા શિક્ષણાધિકારી સામે વહિવટી તંત્ર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હોય, જે સમક્ષ પોતે પુનઃ લગ્ન ન કર્યાનો દાવો કરતા શિક્ષણાધિકારી કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા હોય, બાબતે ટુંક સમયમાં જ સમિતિના રિપોર્ટ બાદ તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવી શકે છે…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ વાંકાનેર વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચારના મુદ્દે તપાસ ચાલી રહી હોય, તેમાં પણ વધુ એક ભ્રષ્ટાચારની પોલ ખુલતા હાલ આ મુદ્દો વાંકાનેરના શિક્ષણ વિભાગમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf