છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકથી મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આ અકાળે મોતના બનાવમાં વાંકાનેર પણ પાછળ નથી, જેમાં વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે માતાજીના માંડવામાં ડાક વગાડવા માટે આવેલા રાજકોટના એક યુવાનને ડાક વગાડવા જતાં હાર્ટએટેક આવી જતાં તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે ગઈકાલે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં રાજકોટના ભાવનગર રોડ ઉપર થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ગોપાલભાઈ કરમશીભાઇ મેવાડા (ઉ.વ. 38) નામનો યુવાન ડાક વગાડવા માટે આવેલ હોય જે માતાજીના માંડવામાં ડાક વગાડવા જતાં અચાનક તેને હાર્ટએટેક આવી જતા ગોપાલભાઈ નું મોત થયું હતું. જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf